પ્રેરક કથાઓ – સંકલિત
પ્રેરક કથાઓ – સંકલિતApril 18th, 2011 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : સંકલિત | 18 પ્રતિભાવો »[ બાળકો-કિશોરો માટેના લોકપ્રિય સામાયિક ‘ચાંદામામા’માંથી (એપ્રિલ-2011) અત્રે કેટલીક પ્રેરક કથાઓ પ્રસ્તુત છે. ચાંદામામાનું વાર્ષિક લવાજમ રૂ. 240 છે. વધુ માહિતી માટે www.chandamama.com ની મુલાકાત લેવા વિનંતી.]
[1] ગરીબ વર – કરિશ્મા જૈન
સિયારામની જિંદગી એક ગરીબ ખેડૂતના રૂપમાં શરૂ થઈ હતી. જોતજોતામાં ખૂબ મહેનત કરવાને કારણે તે પૈસાદાર બની ગયો. તેની પાસે ઘણું ધન ભેગું થઈ ગયું હતું. તેને એક માત્ર પુત્રી હતી રાધા. નાનપણથી જ રાધા ઘણી સૌમ્ય અને સુશીલ હતી. મોટાઓને ખૂબ આદરભાવ આપતી.
રાધા હવે ખૂબ સમજુ થઈ ગઈ હતી. ઘણા ગામ અને શહેરથી રાધા માટે માંગા આવવા લાગ્યા. તે ભણી પણ હતી અને સુંદર પણ હતી. સિયારામે ચોખ્ખું જ કહી દીધું હતું કે તે પોતાની દીકરીનો વિવાહ કોઈ ગરીબ ઘરમાં નહીં કરે. સિયારામની વાત સાંભળીને પડોશી ગામે રહેતા વિજય નામના છોકરાના મનમાં આશા જન્મી કે રાધા સાથે પોતે લગ્ન કરી શકશે. હા, વિજય પૈસાદાર હતો. કરોડપતિ જ કહેવાય. તે ગામની અડધી જમીન તો તેની જ હતી. ચાર દુકાનો-વ્યાજનો ધંધો અને ત્રણ મોટા મોટા મકાનો. આ બધાનો તે માલિક હતો. તેણે એક દિવસ દયારામ પંડિતને બોલાવીને કહ્યું :
‘પંડિતજી ! હું આટલો પૈસાદાર છું, છતાં હું રાધા સાથે એટલા માટે લગ્ન કરવા ઈચ્છું છું કે તે સુંદર અને ભણેલી-ગણેલી છે. એક લાખ રૂપિયા દહેજમાં આપે તો બસ, હું રાધા સાથે લગ્ન કરવા તૈયાર છું. તમે જાવ અને સંબંધ-સગાઈ પાકી કરીને આવો. જો સિયારામ એક લાખ રૂપિયા આપવા માટે અસમર્થ હોય તો એંસી હજારમાં પણ વાત પાકી કરી નાખજો. તમે જો મારું આ કામ કરી આપશો તો હું તમને એક હજાર રૂપિયા ઈનામ આપીશ.’
હજાર રૂપિયાની લાલચમાં પડીને પંડિત દયારામ ખૂબ ઉત્સાહથી સિયારામને ઘેર જવા નીકળ્યો. ત્યાં જઈને વિજય વિશે તેણે બધું જણાવ્યું. બધી વાતો સાંભળીને સિયારામે કહ્યું, ‘પંડિતજી, મેં તો પહેલાં જ કહ્યું છે ને કે હું મારી દીકરીનો વિવાહ ગરીબ ઘરમાં કરવા નથી ઈચ્છતો.’
તે સાંભળી પંડિતજીએ ચોંકીને કહ્યું : ‘વિજય કોઈ રીતે ગરીબ નથી. લાખ રૂપિયા દહેજમાં આપવા કદાચ તમે નહીં ઈચ્છતા હો, તેથી જ તમે તેની ઈજ્જત નથી કરતા !’ પણ સિયારામે તેનો કોઈ જવાબ ન આપ્યો, ત્યારે પંડિત ગુસ્સે થઈ ત્યાંથી હેરાન થતો ચાલ્યો ગયો. પણ, ખરેખર તેનાથી પણ વધુ સારુ માંગુ સિયારામનું ઘર શોધતું આવ્યું. વરનું નામ હતું અજય. દસ કરોડ રૂપિયાનો તે એકલો જ વારસદાર હતો, શહેરમાં તેનો હીરાનો વેપાર હતો. વિજય કરતાં અજય વધારે સુંદર પણ હતો. અજયે દહેજમાં માત્ર પચાસ હજાર જ માંગ્યા. અજયનું માગું લઈને પંડિત બાબુરામ સીધો સિયારામ પાસે આવ્યો. પણ સિયારામે બાબુરામને પણ એ જ કહી દીધું જે તેણે દયારામને કહ્યું હતું. બાબુરામ પંડિત ચોંકી પડ્યો. ગુસ્સે થઈને ધુંઆફુંઆ થતો ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી થોડા દિવસ પછી તે ગામનો વિનોદ નામનો એક યુવાન સિયારામ પાસે આવ્યો અને બોલ્યો : ‘હું તમારી પુત્રી રાધાને ચાહું છું. તમારી રજા હોય તો હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું, હું જાણું છું કે તે પણ મને પસંદ કરે છે.
સિયારામે તેને કહ્યું : ‘જો દીકરા, મારી પાસે દસ લાખ સિક્કા રોકડા છે. વીસ એકર જમીન અને ત્રણ માળનું મકાન છે. પણ આમાંથી હું કાંઈ પણ મારી દીકરીને આપી શકું તેમ નથી. ઘડપણમાં માત્ર ધન જ માણસનો સહારો છે. આ ધન અને સંપત્તિ હું મારા ઘડપણ માટે મારી પાસે જ રાખવા માગું છું. મારી દીકરીને આ ઘરમાં જેટલું સુખ અને સગવડ મળ્યાં છે, તેટલું તેને તેના પતિના ઘરમાં પણ મળે – એ હું ઈચ્છું છું. ભલે, તો હવે કહે તો તારી પાસે કેટલી જમીન-સંપત્તિ છે ? અને ઘર-મકાન વગેરે શું છે ?’
ત્યારે વિનોદે કહ્યું : ‘મહોદય, હું ચાર વર્ષ પહેલાં આ ગામમાં આવ્યો છું. ચાર ભેંસ રાખીને મેં દૂધનો વેપાર શરૂ કર્યો છે. અત્યારે મારી પાસે દસ ભેંસો છે અને ચાર એકર જમીન છે. થોડું કરજ કરીને મારું પોતાનું એક ઘર પણ મેં બનાવી લીધું છે. જો બધું બરાબર ચાલશે તો ઘરનું કરજ તો આ વર્ષે ચૂકતે થઈ જશે. મને વિશ્વાસ છે કે હું તમારી દીકરીને એ બધા સુખ-વૈભવ આપી શકીશ જે તમે આજે તેને આપો છો અને બીજી પણ એક વાત હું તમને કહેવા માગું છું, કે તમે એમ વિચારો છો કે ઘડપણમાં માત્ર પૈસો જ તમારો સહારો છે, પણ તે તમારો ભ્રમ છે. ધન એ તો હાથનો મેલ છે. ઘડપણમાં તો બધા તમને છોડીને તમારું ધન હડપ કરવાનો પ્રયત્ન કરશે. તેથી તમે તમારું ધન સારા કામમાં ખર્ચી નાખો અને તેનાથી છુટકારો મેળવો. પછી તમે મારે ઘેર આવીને રહો. તમને હું ખૂબ સંતોષ આપીશ. તમે મારે ઘેર સુખ-શાંતિથી રહી શકશો.’
હવે સિયારામે રાધાના લગ્ન વિનોદ સાથે કરવાની હા પાડી. તે જાણીને દયારામ અને બાબુરામ બંને પંડિતો વિનોદને મળવા આવ્યા. તેમણે વિનોદ સામે પોતાનો સંદેહ પ્રગટ કર્યો.
‘દીકરા, સિયારામે તને કેમ પસંદ કર્યો, તે અમને જરા જણાવ. શું તારી પાસે એવી કોઈ ચાવી છે કે તું વિજય અને અજય કરતાં પણ વધુ ધનિક બની જશે. તે સાંભળીને હસતાં હસતાં વિનોદે કહ્યું, ‘વિજયે રાધા સાથે લગ્ન કરવા માટે એક લાખનું દહેજ માંગ્યું હતું. અજયે પચાસ હજાર માંગ્યા હતા. તેથી સિયારામ આપવાવાળા અને વિજય અને અજય લેવાવાળા બને. એટલે કે તે બન્ને સિયારામથી પણ વધુ ગરીબ બને. લગ્નમાં દહેજ માંગવાવાળો ભિખારી જ કહેવાય. મારી વાત એવી નથી. હું રાધાને દિલથી ચાહું છું. તેને મેળવવા માટે હું મારા સર્વસ્વનો ત્યાગ કરવા તૈયાર છું. મેં કોઈ દહેજ ન ઈચ્છયું અને મેં સિયારામને એ પણ વચન આપ્યું છે કે આગળ જતાં હું એમને પણ મારે ઘેર રાખીને તેમનું ધ્યાન રાખીશ. તેથી હું તેમનાથી પણ વધુ પૈસાદાર કહેવાયોને ?’
આમ સત્ય હકીકત જાણીને, શરમના માર્યા બંને પંડિતો માથું ઝુકાવી ત્યાંથી ચાલ્યા ગયા.
.
[2] શક્કરિયાં – એસ. વેંકટરામન
વાત ઘણી જૂની છે. એક રાજાને એક ગરીબ ખેડૂત મિત્ર હતો. ખેડૂતની ઝૂંપડી જંગલની પાસે જ હતી અને જ્યારે પણ રાજા શિકાર કરવા માટે જંગલમાં જતો, ત્યારે પાછા ફરતી વખતે તે પોતાના મિત્ર ખેડૂતને ઘેર થોડી વાર આરામ માટે રોકાતો. ખેડૂતની પત્ની શક્કરિયાં શેકીને રાજાને આપતી હતી અને બહુ પ્રેમથી રાજા તે શક્કરિયાં ખાઈને ભૂખ મટાડતો હતો.
એક દિવસ કોઈ કામ માટે ખેડૂત રાજધાની જવા નીકળ્યો. ત્યારે કેટલાંક શક્કરિયાં પોટલામાં બાંધીને ખેડૂતને આપતાં તેની પત્નીએ કહ્યું, ‘રાજાને આ શક્કરિયાં બહુ ગમે છે. તે લઈ જઈને તેમને ભેટ રૂપે આપી આવો.’ ખેડૂત એક મોટા શક્કરિયાંને પોટલીમાં બાંધી માથા ઉપર મૂકીને રાજધાની તરફ ચાલી નીકળ્યો.
‘આ બહુ મોટું શક્કરિયું છે અને રાજાએ આટલું મોટું શક્કરિયું જોયું પણ નહીં હોય. એ જ હું રાજાને ભેટ આપીશ.’ ખેડૂતે મનમાં ને મનમાં વિચાર્યું. રાજાના દર્શન કરવા માટે ખેડૂત જ્યારે ગયો, ત્યારે રાજા દરબારમાં હતા. દરબારમાંથી બહાર આવ્યા ત્યારે પોતાના ખેડૂત મિત્રને જોઈને રાજા બહુ ખુશ થયા. તેના ખબર અંતર પૂછી રાજાએ બહુ પ્રેમથી તેની સાથે વાતો કરી. ખેડૂતે પોટલીમાંથી શક્કરિયું કાઢીને રાજાને આપતાં કહ્યું : ‘હું તમારે માટે આ લાવ્યો છું.’
રાજાએ બહુ ખુશીથી તે શક્કરિયું લઈને બાજુમાં ઊભેલા સિપાહીને કહ્યું : ‘આને લઈ જઈને ખજાનચીને આપી દો અને કહો કે આ ભેટ ખજાનામાં સાચવીને રાખે અને હાં, ખજાનચી પાસેથી માંગીને એક હજાર સુવર્ણમહોરો લાવીને આ ખેડૂતને ભેટમાં આપો.’ પછી રાજાએ ખેડૂતને કહ્યું, ‘ચાલો, ભોજન કરવા જઈએ.’ રાજભવનમાં રહેતા બધાને ખબર પડી કે કોઈ આલતુ-ફાલતુ મફતલાલ ખેડૂત તેની સાથે એક મામૂલી શક્કરિયું ભેટમાં લઈ આવ્યો જેના બદલામાં રાજાએ તેને એક હજાર સુવર્ણ મુદ્રાઓની બક્ષિસ આપી. જ્યારે રાજા એટલા મોટા દાની છે તો પછી તેમનો લાભ લેવા એક દરબારીએ એક શ્રેષ્ઠ જાતવાન ઘોડો ખરીદ્યો અને તેને લાવીને રાજાને ભેટ રૂપે આપતાં તેણે કહ્યું :
‘રાજન ! આ ઉત્તમ અને જાતવાન ઘોડો હું તમને ભેટ આપું છું. મહેરબાની કરી તેનો સ્વીકાર કરો.’
બધા દરબારીઓ તે વિચારે રાહ જોવા લાગ્યા કે એક મામૂલી શક્કરિયાના બદલામાં રાજાએ એક હજાર સુવર્ણમુદ્રાઓ આપી હતી, તો આ શ્રેષ્ઠ અશ્વના બદલામાં કેવી ભેટ મળશે ?
રાજાને વાત સમજતા વાર ન લાગી. તેથી પાસે ઊભેલા સિપાહીના કાનમાં રાજાએ ગુપ્તરૂપે કહ્યું, ‘જઈને ખજાનામાં રાખેલા શક્કરિયાને સાચવીને લઈ આવ.’ સિપાહી તરત જ તે મોટું શક્કરિયું લઈ આવ્યો અને તે રાજાના હાથમાં આપ્યું. રાજાએ તે શક્કરિયું પેલા દરબારીના હાથમાં આપતાં કહ્યું : ‘આ શક્કરિયાની કિંમત એક હજાર સુવર્ણમુદ્રાઓ છે. તેં મને એક ઘોડો ભેટ રૂપે આપ્યો છે. તેથી આ શક્કરિયું હું તને ભેટમાં આપું છું !’ આમ પેલા દરબારીની આશા ઉપર પાણી ફરી વળ્યું. તેને લાગ્યું કે પોતાના લોભ માટે રાજાએ તેને સારો પાઠ ભણાવ્યો છે. બીજા દરબારીઓને પણ તેમની ભૂલ સમજાઈ.
[1] ગરીબ વર – કરિશ્મા જૈન
સિયારામની જિંદગી એક ગરીબ ખેડૂતના રૂપમાં શરૂ થઈ હતી. જોતજોતામાં ખૂબ મહેનત કરવાને કારણે તે પૈસાદાર બની ગયો. તેની પાસે ઘણું ધન ભેગું થઈ ગયું હતું. તેને એક માત્ર પુત્રી હતી રાધા. નાનપણથી જ રાધા ઘણી સૌમ્ય અને સુશીલ હતી. મોટાઓને ખૂબ આદરભાવ આપતી.
રાધા હવે ખૂબ સમજુ થઈ ગઈ હતી. ઘણા ગામ અને શહેરથી રાધા માટે માંગા આવવા લાગ્યા. તે ભણી પણ હતી અને સુંદર પણ હતી. સિયારામે ચોખ્ખું જ કહી દીધું હતું કે તે પોતાની દીકરીનો વિવાહ કોઈ ગરીબ ઘરમાં નહીં કરે. સિયારામની વાત સાંભળીને પડોશી ગામે રહેતા વિજય નામના છોકરાના મનમાં આશા જન્મી કે રાધા સાથે પોતે લગ્ન કરી શકશે. હા, વિજય પૈસાદાર હતો. કરોડપતિ જ કહેવાય. તે ગામની અડધી જમીન તો તેની જ હતી. ચાર દુકાનો-વ્યાજનો ધંધો અને ત્રણ મોટા મોટા મકાનો. આ બધાનો તે માલિક હતો. તેણે એક દિવસ દયારામ પંડિતને બોલાવીને કહ્યું :
‘પંડિતજી ! હું આટલો પૈસાદાર છું, છતાં હું રાધા સાથે એટલા માટે લગ્ન કરવા ઈચ્છું છું કે તે સુંદર અને ભણેલી-ગણેલી છે. એક લાખ રૂપિયા દહેજમાં આપે તો બસ, હું રાધા સાથે લગ્ન કરવા તૈયાર છું. તમે જાવ અને સંબંધ-સગાઈ પાકી કરીને આવો. જો સિયારામ એક લાખ રૂપિયા આપવા માટે અસમર્થ હોય તો એંસી હજારમાં પણ વાત પાકી કરી નાખજો. તમે જો મારું આ કામ કરી આપશો તો હું તમને એક હજાર રૂપિયા ઈનામ આપીશ.’
હજાર રૂપિયાની લાલચમાં પડીને પંડિત દયારામ ખૂબ ઉત્સાહથી સિયારામને ઘેર જવા નીકળ્યો. ત્યાં જઈને વિજય વિશે તેણે બધું જણાવ્યું. બધી વાતો સાંભળીને સિયારામે કહ્યું, ‘પંડિતજી, મેં તો પહેલાં જ કહ્યું છે ને કે હું મારી દીકરીનો વિવાહ ગરીબ ઘરમાં કરવા નથી ઈચ્છતો.’
તે સાંભળી પંડિતજીએ ચોંકીને કહ્યું : ‘વિજય કોઈ રીતે ગરીબ નથી. લાખ રૂપિયા દહેજમાં આપવા કદાચ તમે નહીં ઈચ્છતા હો, તેથી જ તમે તેની ઈજ્જત નથી કરતા !’ પણ સિયારામે તેનો કોઈ જવાબ ન આપ્યો, ત્યારે પંડિત ગુસ્સે થઈ ત્યાંથી હેરાન થતો ચાલ્યો ગયો. પણ, ખરેખર તેનાથી પણ વધુ સારુ માંગુ સિયારામનું ઘર શોધતું આવ્યું. વરનું નામ હતું અજય. દસ કરોડ રૂપિયાનો તે એકલો જ વારસદાર હતો, શહેરમાં તેનો હીરાનો વેપાર હતો. વિજય કરતાં અજય વધારે સુંદર પણ હતો. અજયે દહેજમાં માત્ર પચાસ હજાર જ માંગ્યા. અજયનું માગું લઈને પંડિત બાબુરામ સીધો સિયારામ પાસે આવ્યો. પણ સિયારામે બાબુરામને પણ એ જ કહી દીધું જે તેણે દયારામને કહ્યું હતું. બાબુરામ પંડિત ચોંકી પડ્યો. ગુસ્સે થઈને ધુંઆફુંઆ થતો ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી થોડા દિવસ પછી તે ગામનો વિનોદ નામનો એક યુવાન સિયારામ પાસે આવ્યો અને બોલ્યો : ‘હું તમારી પુત્રી રાધાને ચાહું છું. તમારી રજા હોય તો હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું, હું જાણું છું કે તે પણ મને પસંદ કરે છે.
સિયારામે તેને કહ્યું : ‘જો દીકરા, મારી પાસે દસ લાખ સિક્કા રોકડા છે. વીસ એકર જમીન અને ત્રણ માળનું મકાન છે. પણ આમાંથી હું કાંઈ પણ મારી દીકરીને આપી શકું તેમ નથી. ઘડપણમાં માત્ર ધન જ માણસનો સહારો છે. આ ધન અને સંપત્તિ હું મારા ઘડપણ માટે મારી પાસે જ રાખવા માગું છું. મારી દીકરીને આ ઘરમાં જેટલું સુખ અને સગવડ મળ્યાં છે, તેટલું તેને તેના પતિના ઘરમાં પણ મળે – એ હું ઈચ્છું છું. ભલે, તો હવે કહે તો તારી પાસે કેટલી જમીન-સંપત્તિ છે ? અને ઘર-મકાન વગેરે શું છે ?’
ત્યારે વિનોદે કહ્યું : ‘મહોદય, હું ચાર વર્ષ પહેલાં આ ગામમાં આવ્યો છું. ચાર ભેંસ રાખીને મેં દૂધનો વેપાર શરૂ કર્યો છે. અત્યારે મારી પાસે દસ ભેંસો છે અને ચાર એકર જમીન છે. થોડું કરજ કરીને મારું પોતાનું એક ઘર પણ મેં બનાવી લીધું છે. જો બધું બરાબર ચાલશે તો ઘરનું કરજ તો આ વર્ષે ચૂકતે થઈ જશે. મને વિશ્વાસ છે કે હું તમારી દીકરીને એ બધા સુખ-વૈભવ આપી શકીશ જે તમે આજે તેને આપો છો અને બીજી પણ એક વાત હું તમને કહેવા માગું છું, કે તમે એમ વિચારો છો કે ઘડપણમાં માત્ર પૈસો જ તમારો સહારો છે, પણ તે તમારો ભ્રમ છે. ધન એ તો હાથનો મેલ છે. ઘડપણમાં તો બધા તમને છોડીને તમારું ધન હડપ કરવાનો પ્રયત્ન કરશે. તેથી તમે તમારું ધન સારા કામમાં ખર્ચી નાખો અને તેનાથી છુટકારો મેળવો. પછી તમે મારે ઘેર આવીને રહો. તમને હું ખૂબ સંતોષ આપીશ. તમે મારે ઘેર સુખ-શાંતિથી રહી શકશો.’
હવે સિયારામે રાધાના લગ્ન વિનોદ સાથે કરવાની હા પાડી. તે જાણીને દયારામ અને બાબુરામ બંને પંડિતો વિનોદને મળવા આવ્યા. તેમણે વિનોદ સામે પોતાનો સંદેહ પ્રગટ કર્યો.
‘દીકરા, સિયારામે તને કેમ પસંદ કર્યો, તે અમને જરા જણાવ. શું તારી પાસે એવી કોઈ ચાવી છે કે તું વિજય અને અજય કરતાં પણ વધુ ધનિક બની જશે. તે સાંભળીને હસતાં હસતાં વિનોદે કહ્યું, ‘વિજયે રાધા સાથે લગ્ન કરવા માટે એક લાખનું દહેજ માંગ્યું હતું. અજયે પચાસ હજાર માંગ્યા હતા. તેથી સિયારામ આપવાવાળા અને વિજય અને અજય લેવાવાળા બને. એટલે કે તે બન્ને સિયારામથી પણ વધુ ગરીબ બને. લગ્નમાં દહેજ માંગવાવાળો ભિખારી જ કહેવાય. મારી વાત એવી નથી. હું રાધાને દિલથી ચાહું છું. તેને મેળવવા માટે હું મારા સર્વસ્વનો ત્યાગ કરવા તૈયાર છું. મેં કોઈ દહેજ ન ઈચ્છયું અને મેં સિયારામને એ પણ વચન આપ્યું છે કે આગળ જતાં હું એમને પણ મારે ઘેર રાખીને તેમનું ધ્યાન રાખીશ. તેથી હું તેમનાથી પણ વધુ પૈસાદાર કહેવાયોને ?’
આમ સત્ય હકીકત જાણીને, શરમના માર્યા બંને પંડિતો માથું ઝુકાવી ત્યાંથી ચાલ્યા ગયા.
.
[2] શક્કરિયાં – એસ. વેંકટરામન
વાત ઘણી જૂની છે. એક રાજાને એક ગરીબ ખેડૂત મિત્ર હતો. ખેડૂતની ઝૂંપડી જંગલની પાસે જ હતી અને જ્યારે પણ રાજા શિકાર કરવા માટે જંગલમાં જતો, ત્યારે પાછા ફરતી વખતે તે પોતાના મિત્ર ખેડૂતને ઘેર થોડી વાર આરામ માટે રોકાતો. ખેડૂતની પત્ની શક્કરિયાં શેકીને રાજાને આપતી હતી અને બહુ પ્રેમથી રાજા તે શક્કરિયાં ખાઈને ભૂખ મટાડતો હતો.
એક દિવસ કોઈ કામ માટે ખેડૂત રાજધાની જવા નીકળ્યો. ત્યારે કેટલાંક શક્કરિયાં પોટલામાં બાંધીને ખેડૂતને આપતાં તેની પત્નીએ કહ્યું, ‘રાજાને આ શક્કરિયાં બહુ ગમે છે. તે લઈ જઈને તેમને ભેટ રૂપે આપી આવો.’ ખેડૂત એક મોટા શક્કરિયાંને પોટલીમાં બાંધી માથા ઉપર મૂકીને રાજધાની તરફ ચાલી નીકળ્યો.
‘આ બહુ મોટું શક્કરિયું છે અને રાજાએ આટલું મોટું શક્કરિયું જોયું પણ નહીં હોય. એ જ હું રાજાને ભેટ આપીશ.’ ખેડૂતે મનમાં ને મનમાં વિચાર્યું. રાજાના દર્શન કરવા માટે ખેડૂત જ્યારે ગયો, ત્યારે રાજા દરબારમાં હતા. દરબારમાંથી બહાર આવ્યા ત્યારે પોતાના ખેડૂત મિત્રને જોઈને રાજા બહુ ખુશ થયા. તેના ખબર અંતર પૂછી રાજાએ બહુ પ્રેમથી તેની સાથે વાતો કરી. ખેડૂતે પોટલીમાંથી શક્કરિયું કાઢીને રાજાને આપતાં કહ્યું : ‘હું તમારે માટે આ લાવ્યો છું.’
રાજાએ બહુ ખુશીથી તે શક્કરિયું લઈને બાજુમાં ઊભેલા સિપાહીને કહ્યું : ‘આને લઈ જઈને ખજાનચીને આપી દો અને કહો કે આ ભેટ ખજાનામાં સાચવીને રાખે અને હાં, ખજાનચી પાસેથી માંગીને એક હજાર સુવર્ણમહોરો લાવીને આ ખેડૂતને ભેટમાં આપો.’ પછી રાજાએ ખેડૂતને કહ્યું, ‘ચાલો, ભોજન કરવા જઈએ.’ રાજભવનમાં રહેતા બધાને ખબર પડી કે કોઈ આલતુ-ફાલતુ મફતલાલ ખેડૂત તેની સાથે એક મામૂલી શક્કરિયું ભેટમાં લઈ આવ્યો જેના બદલામાં રાજાએ તેને એક હજાર સુવર્ણ મુદ્રાઓની બક્ષિસ આપી. જ્યારે રાજા એટલા મોટા દાની છે તો પછી તેમનો લાભ લેવા એક દરબારીએ એક શ્રેષ્ઠ જાતવાન ઘોડો ખરીદ્યો અને તેને લાવીને રાજાને ભેટ રૂપે આપતાં તેણે કહ્યું :
‘રાજન ! આ ઉત્તમ અને જાતવાન ઘોડો હું તમને ભેટ આપું છું. મહેરબાની કરી તેનો સ્વીકાર કરો.’
બધા દરબારીઓ તે વિચારે રાહ જોવા લાગ્યા કે એક મામૂલી શક્કરિયાના બદલામાં રાજાએ એક હજાર સુવર્ણમુદ્રાઓ આપી હતી, તો આ શ્રેષ્ઠ અશ્વના બદલામાં કેવી ભેટ મળશે ?
રાજાને વાત સમજતા વાર ન લાગી. તેથી પાસે ઊભેલા સિપાહીના કાનમાં રાજાએ ગુપ્તરૂપે કહ્યું, ‘જઈને ખજાનામાં રાખેલા શક્કરિયાને સાચવીને લઈ આવ.’ સિપાહી તરત જ તે મોટું શક્કરિયું લઈ આવ્યો અને તે રાજાના હાથમાં આપ્યું. રાજાએ તે શક્કરિયું પેલા દરબારીના હાથમાં આપતાં કહ્યું : ‘આ શક્કરિયાની કિંમત એક હજાર સુવર્ણમુદ્રાઓ છે. તેં મને એક ઘોડો ભેટ રૂપે આપ્યો છે. તેથી આ શક્કરિયું હું તને ભેટમાં આપું છું !’ આમ પેલા દરબારીની આશા ઉપર પાણી ફરી વળ્યું. તેને લાગ્યું કે પોતાના લોભ માટે રાજાએ તેને સારો પાઠ ભણાવ્યો છે. બીજા દરબારીઓને પણ તેમની ભૂલ સમજાઈ.
રંગીલા પતંગિયા – પ્રીતિ ત્રિ. કોટેચા ‘પ્રેરણા’March 26th, 2011 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : પ્રીતિ ત્રિ. કોટેચા | 29 પ્રતિભાવો »[પોરબંદર ખાતે શિક્ષિકાની ફરજ બજાવતા શ્રીમતી પ્રીતિબેનના બાળકાવ્ય સંગ્રહ ‘રંગીલા પતંગિયા’માંથી પ્રસ્તુત રચનાઓ સાભાર લેવામાં આવી છે. તેમના અનેક કાવ્યો ફૂલછાબ, ટમટમ સહિત અનેક અખબાર-સામાયિકોમાં પ્રકાશિત થતા રહે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત બાળકાવ્યોને અંતે આપવામાં આવી છે.]
[1] સૂરજદાદા
સવાર પડે ને સૂરજ ઉગે એની કંકુવર્ણી કાયા
જાણી શકે ન આખી દુનિયા એવી એની માયા
લાલ-લાલને ગોળ-ગોળ ધગધગતોએ ગોળો
પૂરવમાંથી કદી ન ઉગે એ તો ભાઈ મોડો
સાંજ પડે ને દરિયામાં જઈ ડુબકીએ લગાવે
સવારમાં તો ચોખ્ખો ચણક થઈને એ તો આવે
સવારમાં તો આળસ-નિંદર સૌની એ ભગાડે
એની કાયા ચમકાવીને સંસારને જગાડે
પૂરવમાંથી ઉગે ને પશ્ચિમમાં જઈ ડુબે
એની યાત્રા જોવા પેલા પંખી આકાશે ઉડે
[2] પંખી
પંખી બનીને મને ઊડવું ગમે, ભાઈ ઊડવું ગમે
દોસ્તોની સાથે ઝૂમવું ગમે, ભાઈ મને ઝૂમવું ગમે
ઝાડોના ઝૂંડ મહી માળો બાંધીને
ડુંગરની ગોદમાં રમવું ગમે, મને ઊડવું ગમે.
અદ્ધર આકાશે જઈ ચાંદામામાની ગાડી કરી
તારલીયાની સાથે રમવું ગમે, મને ઊડવું ગમે.
ધરતીની છોડ મુકી સમંદર પાર કરી
હોડીના ઝૂલામાં ઝૂલવું ગમે, મને ઊડવું ગમે
પંખીની એક શીખ મનમાં લઈને
પંખીની સાથે સંપીને રહેવું ગમે, મને ઊડવું ગમે.
[3] ચકીબેન
એક હતી ચકલી, ઓઢી ચાલી છત્રી
ભરવા ગઈ પાણી, પૂર લાવી તાણી
ચકીબેન ફેશનવાળા, ગળામાંતો બાંધે માળા
એણે પહેરી સાડી, મોરપીંછા વાળી
એણે પહેર્યા સેંડલ, નાખી પર્સ પેંડલ
મોટરમાં તો ફરવા ગઈ, ચપટી દાણા ચણવા ગઈ
દાણા લાવી પાલી, બધાને લાગે વ્હાલી
કેવા ચકીબેન સારા, સૌને લાગે પ્યારા
[4] બિલ્લીબેન
બિલ્લી માસી ભણવા ચાલ્યાં લઈને પાટી પેન
હાથમાં લીધું દફતરને જોઈ રહ્યા છે બેન
સામા મળ્યા કૂતરાભાઈ, ગભરાઈ બિલ્લીબેન
કૂતરાભાઈ પૂછે છે ક્યાં ચાલ્યા બિલ્લીબેન
નિશાળે તો હું એકડો ભણીશ લઈને પાટી પેન
ભણી ગણીને હોશિયાર થઈને બની એક દી બેન
કૂતરાભાઈ નિશાળે ચાલ્યા લઈને પાટી પેન
નિશાળમાં તો તેને ભણાવે સૌથી મોટા બેન
પછી તો બધા ભણવા લાગ્યા સાથે
બધા તો સંકલ્પ કર્યો સાક્ષર બનવાનો હાથે
[1] સૂરજદાદા
સવાર પડે ને સૂરજ ઉગે એની કંકુવર્ણી કાયા
જાણી શકે ન આખી દુનિયા એવી એની માયા
લાલ-લાલને ગોળ-ગોળ ધગધગતોએ ગોળો
પૂરવમાંથી કદી ન ઉગે એ તો ભાઈ મોડો
સાંજ પડે ને દરિયામાં જઈ ડુબકીએ લગાવે
સવારમાં તો ચોખ્ખો ચણક થઈને એ તો આવે
સવારમાં તો આળસ-નિંદર સૌની એ ભગાડે
એની કાયા ચમકાવીને સંસારને જગાડે
પૂરવમાંથી ઉગે ને પશ્ચિમમાં જઈ ડુબે
એની યાત્રા જોવા પેલા પંખી આકાશે ઉડે
[2] પંખી
પંખી બનીને મને ઊડવું ગમે, ભાઈ ઊડવું ગમે
દોસ્તોની સાથે ઝૂમવું ગમે, ભાઈ મને ઝૂમવું ગમે
ઝાડોના ઝૂંડ મહી માળો બાંધીને
ડુંગરની ગોદમાં રમવું ગમે, મને ઊડવું ગમે.
અદ્ધર આકાશે જઈ ચાંદામામાની ગાડી કરી
તારલીયાની સાથે રમવું ગમે, મને ઊડવું ગમે.
ધરતીની છોડ મુકી સમંદર પાર કરી
હોડીના ઝૂલામાં ઝૂલવું ગમે, મને ઊડવું ગમે
પંખીની એક શીખ મનમાં લઈને
પંખીની સાથે સંપીને રહેવું ગમે, મને ઊડવું ગમે.
[3] ચકીબેન
એક હતી ચકલી, ઓઢી ચાલી છત્રી
ભરવા ગઈ પાણી, પૂર લાવી તાણી
ચકીબેન ફેશનવાળા, ગળામાંતો બાંધે માળા
એણે પહેરી સાડી, મોરપીંછા વાળી
એણે પહેર્યા સેંડલ, નાખી પર્સ પેંડલ
મોટરમાં તો ફરવા ગઈ, ચપટી દાણા ચણવા ગઈ
દાણા લાવી પાલી, બધાને લાગે વ્હાલી
કેવા ચકીબેન સારા, સૌને લાગે પ્યારા
[4] બિલ્લીબેન
બિલ્લી માસી ભણવા ચાલ્યાં લઈને પાટી પેન
હાથમાં લીધું દફતરને જોઈ રહ્યા છે બેન
સામા મળ્યા કૂતરાભાઈ, ગભરાઈ બિલ્લીબેન
કૂતરાભાઈ પૂછે છે ક્યાં ચાલ્યા બિલ્લીબેન
નિશાળે તો હું એકડો ભણીશ લઈને પાટી પેન
ભણી ગણીને હોશિયાર થઈને બની એક દી બેન
કૂતરાભાઈ નિશાળે ચાલ્યા લઈને પાટી પેન
નિશાળમાં તો તેને ભણાવે સૌથી મોટા બેન
પછી તો બધા ભણવા લાગ્યા સાથે
બધા તો સંકલ્પ કર્યો સાક્ષર બનવાનો હાથે
બહુરૂપી – મધુકાન્ત પ્રજાપતિ
બહુરૂપી – મધુકાન્ત પ્રજાપતિ
January 2nd, 2012 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : મધુકાન્ત પ્રજાપતિ | 8 પ્રતિભાવો »
[બાળવાર્તા : ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]
એક હતો બહુરૂપી. તે જાતજાતના વેશ ધારણ કરી બધાંને ભુલભુલામણીમાં નાખી દેતો. તે વ્યવસાયમાં ખૂબ પારંગત હતો. ક્યારેક મદારીનો વેશ તો ક્યારેક માતાજીનો વેશ. ક્યારેક રાજાનો વેશ તો ક્યારેક ભિખારીનો વેશ. તે એટલો આબેહૂબ ભજવતો કે જોનારા દંગ રહી જતા.
બહુરૂપી ફરતો ફરતો રાજાના દરબારમાં આવી પહોંચ્યો. રાજાને વિનંતી કરતાં બોલ્યો :
‘મહારાજ, મારી બહુરૂપીની કળા બતાવવાની મને તક આપો.’
રાજા કહે : ‘ઠીક, જંગલના રાજા સિંહનો વેશ ભજવી બતાવ.’
બે હાથ જોડી બહુરૂપી કહેવા લાગ્યો : ‘અન્નદાતા, આ વેશ બહુ ખતરનાક છે. તે વેશ જોવાનો આગ્રહ છોડી દો.’
રાજા કહે : ‘અમે તો સિંહનો વેશ જ જોવા માગીએ છીએ.’
બહુરૂપીએ કહ્યું : ‘વેશ ભજવતાં મારાથી ભૂલ થઈ જાય તો પહેલાંથી જ તમારી માફી માગી લઉં છું.’
રાજા કહે : ‘હું પહેલાંથી જ તને માફી આપી દઉં છું. જા, સિંહનો વેશ ભજવી બતાવ.’
બહુરૂપી બીજા દિવસે સિંહનું ચામડું ઓઢીને બરાબર સિંહની જેમ દરબારમાં હાજર થયો. મંત્રીઓ પણ સિંહનું રૂપ જોઈ ડરી ગયા. સિંહ જોરથી ત્રાડ પાડવા લાગ્યો. આ જોઈ બાજુમાં રમી રહેલા રાજાના કુંવરે સિંહને જોરથી લાકડી ફટકારી. સિંહ ગુસ્સાથી સમસમી ગયો. તેણે તરત જ પાછા વળી કુંવરને ગરદનમાંથી પકડ્યો. કુંવર ધમપછાડા કરવા લાગ્યો. પણ પળવારમાં તો તેના પ્રાણ ઊડી ગયા. આખી સભા સ્તબ્ધ બની ગઈ. રાજાને અફસોસ થવા લાગ્યો : ‘મને ક્યાં અવળી બુદ્ધિ સૂઝી તે મેં સિંહનો વેશ ભજવવાનું કહ્યું.’
તરત જ બહુરૂપી સિંહનો વેશ દૂર કરીને રાજા સામે હાજર થયો. રાજાને બે હાથ જોડી કહેવા લાગ્યો : ‘અન્નદાતા ! મેં તમને પહેલેથી જ કહ્યું હતું મારી પાસે આવો ખતરનાક વેશ ભજવવાનો આગ્રહ ન રાખો. જો હું મારો વેશ બરાબર ન ભજવું તો ઈષ્ટદેવી મા ભગવતી નારાજ થાય.’
રાજા કહે : ‘તારો વેશ તો ઠીક છે, પણ મારો કુંવર ગયો તેનું શું ? રાણીને હું શું જવાબ આપીશ ?’
રાજા કશું કરી શકે તેમ નહોતો. તે અગાઉથી વચને બંધાયેલો હતો. તેથી બહુરૂપીને સજા પણ કરી શકે તેમ નહોતો. ત્યાં દરબારના નાયીએ રાજાને ખાનગીમાં સલાહ આપી કે બહુરૂપીને સતી થવાનો વેશ ભજવવાનું કહેજો. સતી થવા માટે તેને સળગતી ચિતામાં બેસવું પડશે. તેનું પ્રાણપંખેરું ઊડી જશે. રાજકુમારને મારવાનો દંડ પણ મળી જશે. આપણે તેને સજા નહીં કરવી પડે. રાજાને નાયીની વાત ગમી ગઈ.
બીજા દિવસે રાજાએ બહુરૂપીને દરબારમાં બોલાવી સતીનો વેશ ભજવવાની આજ્ઞા કરી. બહુરૂપી પોતાના વ્યવસાયને વફાદાર હતો. તે રાજાને ના કહી શક્યો નહીં. સ્મશાનમાં એક અનાથ મડદું પડી રહ્યું હતું. બહુરૂપી સતીનો વેશ ધારણ કરી વાજતે ગાજતે સ્મશાન તરફ રવાના થયો. રાજાને કાને આ વાત પહોંચી એટલે તેણે મંત્રીઓને તપાસ કરવા મોકલ્યા.
‘જુઓ, તે પેલો બહુરૂપી છે કે બીજી કોઈ સ્ત્રી. અને, જો બહુરૂપી હોય તો તેને ચિતામાં બરાબર સળગાવજો જેથી તે બચી ન જાય.’ બહુરૂપી સતી સ્મશાનઘાટ પહોંચી. ત્યાં મોટી ચિતા ખડકવામાં આવી. ચિતા પર અનાથ મડદાને ખોળામાં લઈ બહુરૂપી સતી ચિતા પર બેસી ગઈ. બહુરૂપી પોતાની ઈષ્ટદેવી ભગવતીનું સ્મરણ કરવા લાગ્યો. ડાઘુઓએ ચિતાને આગ લગાવી. આગ ધીમે ધીમે પ્રજળવા લાગી. એટલામાં ગર્જનાઓ થઈ અને વરસાદ તૂટી પડ્યો. આંધી અને વરસાદથી ડરીને બધા નગરજનો પોતપોતાને ઘરે ભાગી ગયા. વરસાદથી આગ ઓલવાઈ ગઈ. નદીમાં પૂર આવવાથી લાકડાં પ્રવાહમાં તણાવા લાગ્યાં. બહુરૂપી લાકડાં પર જ બેસી રહ્યો. તે બીજા કિનારે સહીસલામત પહોંચી ગયો. તેણે ઈષ્ટદેવી ભગવતીનો આભાર માન્યો.
થોડા દિવસો પછી બહુરૂપી રાજાના દરબારમાં હાજર થયો. રાજાને કહેવા લાગ્યો :
‘અન્નદાતા, મારું ઈનામ મને આપવામાં આવે.’ રાજા બહુરૂપીને જોઈને નવાઈ પામ્યો, તે બોલ્યો : ‘અરે તું તો સતી થઈને મરી ગયો હતો ને ?’
‘જી, મહારાજ, હું ભગવતીની કૃપાથી સ્વર્ગમાં જઈને આવ્યો છું.’ બહુરૂપીએ જવાબ આપ્યો.
રાજાએ કહ્યું : ‘શું ત્યાં તું અમારા દાદા-વડદાદાને મળ્યો હતો ? ત્યાંથી શું સમાચાર લાવ્યો છે ?’
બહુરૂપીની નજર રાજાની કાન ભંભેરણી કરનાર નાયી પર પડી. તેણે કહ્યું : ‘મહારાજ ! તમારા દાદા-વડદાદા તો ત્યાં ખૂબ મજામાં છે, પણ તેમના વાળ અને દાઢી એટલા વધી ગયાં છે કે ઓળખાતા નથી. તેમણે ઘરના નાયીને ત્યાં મોકલવાનો સંદેશો કહેવડાવ્યો છે.’
રાજા કહે : ‘પણ નાયી ત્યાં જશે કઈ રીતે ?’
બહુરૂપીએ ઠાવકાઈથી કહ્યું : ‘જેવી રીતે બાપ-દાદા ગયા તેવી રીતે તે પણ જશે. ત્યાં જવાનો રસ્તો તો એક જ છે ને ?’ નાયી થરથર ધ્રુજવા લાગ્યો. તેને પોતાની સલાહ બદલ પસ્તાવો થવા લાગ્યો. હવે જો રાજા ત્યાં જવાની આજ્ઞા આપશે તો મારું તો આવી બન્યું. નાયી જઈને બહુરૂપીના પગમાં પડ્યો :
‘ગમે તે રીતે મને બચાવી લે ! મારું ઘર બરબાદ થઈ જશે. હજુ છોકરાં નાનાં છે. ઘરમાં કમાવાવાળું કોઈ નથી.’
બહુરૂપી બોલ્યો : ‘સતીનો વેશ લઈ મને મારી નાખવા તેં જ રાજાને સલાહ આપી હતી. હવે તું પણ સ્વર્ગમાં જા.’
નાયી બહુરૂપીને ખૂબ કરગરવા લાગ્યો. તેની આંખોમાં આંસુ હતાં. બહુરૂપીને તેની દયા આવી. તેણે કહ્યું : ‘ઠીક છે, મારે તારી સાથે કોઈ વેર નથી.’ તેણે રાજાને કહ્યું : ‘મહારાજા, વાસ્તવમાં હું મર્યો નથી. જે દિવસે હું સતી થવા ચિતામાં બેઠો ત્યારે ભયંકર વાવાઝોડું અને વરસાદ આવવાથી મા ભગવતીએ મને ઊગારી લીધો. હું સતીનો વેશ ભજવતાં ડર્યો નહોતો. જુદા જુદા વેશ ભજવવા એ તો મારો ધર્મ છે. તમે કહેશો તે વેશ ભજવીશ. ઈનામ તમારે જે આપવું હોય તે આપજો.’ રાજાને બહુરૂપીની વાત સાંભળી પ્રસન્નતા થઈ. તેની કળા અને વ્યવસાય પ્રત્યેની નિષ્ઠાની કદર કરીને રાજ્યમાં આશ્રય આપી તેને પોતાનો મંત્રી બનાવી દીધો.
January 2nd, 2012 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : મધુકાન્ત પ્રજાપતિ | 8 પ્રતિભાવો »
[બાળવાર્તા : ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]
એક હતો બહુરૂપી. તે જાતજાતના વેશ ધારણ કરી બધાંને ભુલભુલામણીમાં નાખી દેતો. તે વ્યવસાયમાં ખૂબ પારંગત હતો. ક્યારેક મદારીનો વેશ તો ક્યારેક માતાજીનો વેશ. ક્યારેક રાજાનો વેશ તો ક્યારેક ભિખારીનો વેશ. તે એટલો આબેહૂબ ભજવતો કે જોનારા દંગ રહી જતા.
બહુરૂપી ફરતો ફરતો રાજાના દરબારમાં આવી પહોંચ્યો. રાજાને વિનંતી કરતાં બોલ્યો :
‘મહારાજ, મારી બહુરૂપીની કળા બતાવવાની મને તક આપો.’
રાજા કહે : ‘ઠીક, જંગલના રાજા સિંહનો વેશ ભજવી બતાવ.’
બે હાથ જોડી બહુરૂપી કહેવા લાગ્યો : ‘અન્નદાતા, આ વેશ બહુ ખતરનાક છે. તે વેશ જોવાનો આગ્રહ છોડી દો.’
રાજા કહે : ‘અમે તો સિંહનો વેશ જ જોવા માગીએ છીએ.’
બહુરૂપીએ કહ્યું : ‘વેશ ભજવતાં મારાથી ભૂલ થઈ જાય તો પહેલાંથી જ તમારી માફી માગી લઉં છું.’
રાજા કહે : ‘હું પહેલાંથી જ તને માફી આપી દઉં છું. જા, સિંહનો વેશ ભજવી બતાવ.’
બહુરૂપી બીજા દિવસે સિંહનું ચામડું ઓઢીને બરાબર સિંહની જેમ દરબારમાં હાજર થયો. મંત્રીઓ પણ સિંહનું રૂપ જોઈ ડરી ગયા. સિંહ જોરથી ત્રાડ પાડવા લાગ્યો. આ જોઈ બાજુમાં રમી રહેલા રાજાના કુંવરે સિંહને જોરથી લાકડી ફટકારી. સિંહ ગુસ્સાથી સમસમી ગયો. તેણે તરત જ પાછા વળી કુંવરને ગરદનમાંથી પકડ્યો. કુંવર ધમપછાડા કરવા લાગ્યો. પણ પળવારમાં તો તેના પ્રાણ ઊડી ગયા. આખી સભા સ્તબ્ધ બની ગઈ. રાજાને અફસોસ થવા લાગ્યો : ‘મને ક્યાં અવળી બુદ્ધિ સૂઝી તે મેં સિંહનો વેશ ભજવવાનું કહ્યું.’
તરત જ બહુરૂપી સિંહનો વેશ દૂર કરીને રાજા સામે હાજર થયો. રાજાને બે હાથ જોડી કહેવા લાગ્યો : ‘અન્નદાતા ! મેં તમને પહેલેથી જ કહ્યું હતું મારી પાસે આવો ખતરનાક વેશ ભજવવાનો આગ્રહ ન રાખો. જો હું મારો વેશ બરાબર ન ભજવું તો ઈષ્ટદેવી મા ભગવતી નારાજ થાય.’
રાજા કહે : ‘તારો વેશ તો ઠીક છે, પણ મારો કુંવર ગયો તેનું શું ? રાણીને હું શું જવાબ આપીશ ?’
રાજા કશું કરી શકે તેમ નહોતો. તે અગાઉથી વચને બંધાયેલો હતો. તેથી બહુરૂપીને સજા પણ કરી શકે તેમ નહોતો. ત્યાં દરબારના નાયીએ રાજાને ખાનગીમાં સલાહ આપી કે બહુરૂપીને સતી થવાનો વેશ ભજવવાનું કહેજો. સતી થવા માટે તેને સળગતી ચિતામાં બેસવું પડશે. તેનું પ્રાણપંખેરું ઊડી જશે. રાજકુમારને મારવાનો દંડ પણ મળી જશે. આપણે તેને સજા નહીં કરવી પડે. રાજાને નાયીની વાત ગમી ગઈ.
બીજા દિવસે રાજાએ બહુરૂપીને દરબારમાં બોલાવી સતીનો વેશ ભજવવાની આજ્ઞા કરી. બહુરૂપી પોતાના વ્યવસાયને વફાદાર હતો. તે રાજાને ના કહી શક્યો નહીં. સ્મશાનમાં એક અનાથ મડદું પડી રહ્યું હતું. બહુરૂપી સતીનો વેશ ધારણ કરી વાજતે ગાજતે સ્મશાન તરફ રવાના થયો. રાજાને કાને આ વાત પહોંચી એટલે તેણે મંત્રીઓને તપાસ કરવા મોકલ્યા.
‘જુઓ, તે પેલો બહુરૂપી છે કે બીજી કોઈ સ્ત્રી. અને, જો બહુરૂપી હોય તો તેને ચિતામાં બરાબર સળગાવજો જેથી તે બચી ન જાય.’ બહુરૂપી સતી સ્મશાનઘાટ પહોંચી. ત્યાં મોટી ચિતા ખડકવામાં આવી. ચિતા પર અનાથ મડદાને ખોળામાં લઈ બહુરૂપી સતી ચિતા પર બેસી ગઈ. બહુરૂપી પોતાની ઈષ્ટદેવી ભગવતીનું સ્મરણ કરવા લાગ્યો. ડાઘુઓએ ચિતાને આગ લગાવી. આગ ધીમે ધીમે પ્રજળવા લાગી. એટલામાં ગર્જનાઓ થઈ અને વરસાદ તૂટી પડ્યો. આંધી અને વરસાદથી ડરીને બધા નગરજનો પોતપોતાને ઘરે ભાગી ગયા. વરસાદથી આગ ઓલવાઈ ગઈ. નદીમાં પૂર આવવાથી લાકડાં પ્રવાહમાં તણાવા લાગ્યાં. બહુરૂપી લાકડાં પર જ બેસી રહ્યો. તે બીજા કિનારે સહીસલામત પહોંચી ગયો. તેણે ઈષ્ટદેવી ભગવતીનો આભાર માન્યો.
થોડા દિવસો પછી બહુરૂપી રાજાના દરબારમાં હાજર થયો. રાજાને કહેવા લાગ્યો :
‘અન્નદાતા, મારું ઈનામ મને આપવામાં આવે.’ રાજા બહુરૂપીને જોઈને નવાઈ પામ્યો, તે બોલ્યો : ‘અરે તું તો સતી થઈને મરી ગયો હતો ને ?’
‘જી, મહારાજ, હું ભગવતીની કૃપાથી સ્વર્ગમાં જઈને આવ્યો છું.’ બહુરૂપીએ જવાબ આપ્યો.
રાજાએ કહ્યું : ‘શું ત્યાં તું અમારા દાદા-વડદાદાને મળ્યો હતો ? ત્યાંથી શું સમાચાર લાવ્યો છે ?’
બહુરૂપીની નજર રાજાની કાન ભંભેરણી કરનાર નાયી પર પડી. તેણે કહ્યું : ‘મહારાજ ! તમારા દાદા-વડદાદા તો ત્યાં ખૂબ મજામાં છે, પણ તેમના વાળ અને દાઢી એટલા વધી ગયાં છે કે ઓળખાતા નથી. તેમણે ઘરના નાયીને ત્યાં મોકલવાનો સંદેશો કહેવડાવ્યો છે.’
રાજા કહે : ‘પણ નાયી ત્યાં જશે કઈ રીતે ?’
બહુરૂપીએ ઠાવકાઈથી કહ્યું : ‘જેવી રીતે બાપ-દાદા ગયા તેવી રીતે તે પણ જશે. ત્યાં જવાનો રસ્તો તો એક જ છે ને ?’ નાયી થરથર ધ્રુજવા લાગ્યો. તેને પોતાની સલાહ બદલ પસ્તાવો થવા લાગ્યો. હવે જો રાજા ત્યાં જવાની આજ્ઞા આપશે તો મારું તો આવી બન્યું. નાયી જઈને બહુરૂપીના પગમાં પડ્યો :
‘ગમે તે રીતે મને બચાવી લે ! મારું ઘર બરબાદ થઈ જશે. હજુ છોકરાં નાનાં છે. ઘરમાં કમાવાવાળું કોઈ નથી.’
બહુરૂપી બોલ્યો : ‘સતીનો વેશ લઈ મને મારી નાખવા તેં જ રાજાને સલાહ આપી હતી. હવે તું પણ સ્વર્ગમાં જા.’
નાયી બહુરૂપીને ખૂબ કરગરવા લાગ્યો. તેની આંખોમાં આંસુ હતાં. બહુરૂપીને તેની દયા આવી. તેણે કહ્યું : ‘ઠીક છે, મારે તારી સાથે કોઈ વેર નથી.’ તેણે રાજાને કહ્યું : ‘મહારાજા, વાસ્તવમાં હું મર્યો નથી. જે દિવસે હું સતી થવા ચિતામાં બેઠો ત્યારે ભયંકર વાવાઝોડું અને વરસાદ આવવાથી મા ભગવતીએ મને ઊગારી લીધો. હું સતીનો વેશ ભજવતાં ડર્યો નહોતો. જુદા જુદા વેશ ભજવવા એ તો મારો ધર્મ છે. તમે કહેશો તે વેશ ભજવીશ. ઈનામ તમારે જે આપવું હોય તે આપજો.’ રાજાને બહુરૂપીની વાત સાંભળી પ્રસન્નતા થઈ. તેની કળા અને વ્યવસાય પ્રત્યેની નિષ્ઠાની કદર કરીને રાજ્યમાં આશ્રય આપી તેને પોતાનો મંત્રી બનાવી દીધો.
પતંગ – રામુ ડરણકર
પતંગ – રામુ ડરણકરJanuary 14th, 2012 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : રામુ ડરણકર | 1 પ્રતિભાવ »[ સૌ વાચકમિત્રોને આજના પતંગપર્વ એટલે કે મકરસંક્રાંતિની શુભકામનાઓ. પ્રસ્તુત બાળગીત ‘બાલમૂર્તિ’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર લેવામાં આવ્યું છે.]
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.
ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.
લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !
પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.
કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !
દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.
ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.
લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !
પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.
કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !
દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.